R. T. E ની ઓનલાઈન પ્રવેશ પ્રકિયા ની અંતીમ તારીખ લંબાવ્વા કલેકટર ને આવેદનપત્ર

સુરત,

આજે 29/8/2020 શનીવાર ના રોજ ઇકરા ફાઉન્ડેશનના તરફ થી રાઇટ ટુ એજ્યુકેશન ની સમય મર્યાદા વધારવા માટે આ માટે સુરત શેહેર ના કલેકટર માનનીય ડૉ. ધવલ કુમાર પટેલ (IAS) ની કચેરી રૂબરુ જઇ આવેદનપત્ર આપીને માંગ કરી હતી. જેમાં ઇકરા ફાઉન્ડેશનના વડા અસલમ ભાઈ મિર્ઝા , મુન્ના ભાઈ ભટ્ટા (સર્વ સમાજ સેના ગુજરાત પ્રદેશ નાયબ વડા), સમાજ સેવક સલીમ ભાઈ શેઠ, સમાજ સેવક મોઈન ભાઈ મેમણ વગેરે હાજર રહયા હતા.

બીજી આવેદનપત્ર ની નકલો ગુજરાત રાજય ના માનનીય મુખ્ય મંત્રી  વિજય ભાઇ રૂપાણી અને ગુજરાત રાજય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા ને પણ રવાના કરી હતી.

રિપોટૅર : રિયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment